દેશ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને આજે તેમની 102 મી જન્મજયંતિ નિમિત્તે યાદ કરી રહ્યું છે.
Live TV
-
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 102મી જન્મ જયંતી નિમિતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંઘ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ શક્તિસ્થળ ખાતે ઇન્દિરા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની આગેવાની હેઠળ સંસદસભ્યોએ આજે સેન્ટ્રલ હોલમાં પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીની તેમની 102 મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી.
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 102મી જન્મ જયંતી નિમિતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને શ્રદ્ધાજલિ અર્પણ કરી હતી. સોનિયા ગાંધી, પ્રણવ મુખર્જી અને મનમોહનસિહ ઇન્દિરા ગાંધીને યાદ કરતા તેમની સમાધિ શક્તિસ્થળ પર પહોંચ્યા હતા અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
