અંતરિક્ષમાં ઈતિહાસ રચવા ચંદ્રયાન-2 તૈયાર
Live TV
-
આજે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ
સમગ્ર દેશ સાથે વિશ્વની નજર ચંદ્રયાન-2 મિશન પર રહેલી છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી આજે બપોરે 2 વાગ્યે અને 43 મિનિટે જીએસએલવી માર્ક - 3વ્રી રોકેટ દ્વારા છોડવામાં આવશે. પ્રક્ષેપણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 640 ટન ભાર લઈ જવામાં સક્ષમ ચંદ્રયાન બે પૃથ્વીની બલપાકર કક્ષામાં લઈને જશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન પ્રમાણે ચંદ્રયાન બે ત્રિવેસ દિવસથી પૃથ્વીની પરિક્રમા કરશે. ત્યારબાદ તે પૃથ્વીની પ્રભાવ ક્ષમતાની બહાર નીકળી જશે. પ્રક્ષેપણના 30માં દિવસે તે 13 દિવસ સુધી ચંદ્રમાની પરિક્રમા કરશે. ચંદ્રયાન-બેનું લેન્ડર વિક્રમ 43માં દિવસે યાનથી અલગ થઈ જશે અને ત્યારબાદ તે ધીમીગતિથી ચંદ્રમાં તરફ આગળ વધશે. 48માં દિવસે એટલે કે, સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રમાંના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાની આશા છે.
