અમિત શાહ આજે દિલ્હીમાં 1816 કરોડ રૂ.ના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
Live TV
-
અમિત શાહ આજે દિલ્હીમાં 1816 કરોડ રૂ.ના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે: યમુના સફાઈ અભિયાનને મળશે વેગ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે (ગુરુવાર, ઓક્ટોબર 9, 2025) રાજધાની દિલ્હીમાં ₹ 1816કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમ આજે સાંજે 4વાગ્યે દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં યોજાશે. અમિત શાહના હસ્તે આધુનિક સુએજ નેટવર્ક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
યમુના સફાઈ પર ભાર
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહ યમુનાની સફાઈ અને પાણી પુરવઠા સંબંધિત પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. આ પ્રોજેક્ટ્સ શરૂ થવાથી યમુના નદીને પ્રદૂષણમુક્ત બનાવવાના અભિયાનને નોંધપાત્ર વેગ મળશે, જે દિલ્હી માટે એક મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે.
