Skip to main content
Settings Settings for Dark

અયોધ્યાપુરી જય શ્રી રામ ના નારાથી ગુંજ્યું, અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુંએ કર્યા ભગવાન રામ લલાના દર્શન

Live TV

X
  • અયોધ્યાપુરી જય શ્રી રામ ના નારાથી ગુંજ્યું, અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુંએ કર્યા ભગવાન રામ લલાના દર્શન

    શ્રી રામ જન્મભૂમિ ખાતે શ્રી રામ લલ્લાના નવનિર્મિત મંદિરમાં દર્શનાર્થીઓની પ્રથમ દિવસે ભારે ભીડ ઉમટી હતી. હાલ અયોધ્યામાં ઠંડીના કહેર વચ્ચે પણ શ્રદ્ધાળુંનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.  

    ગઈ કાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મંદિરનું હવાઇ સર્વેક્ષણ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સૌથી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. તેઓએ પત્રમાં લખ્યું હતુ કે જે પવિત્ર ભુમિ પર આસ્થા અને ઈતિહાસનો એવો સંગમ રચાયો હોય ત્યાં જઈને મારુ મન અભિભૂત થયું છે. તેઓએ એમ પણ કહ્યું હતુ કે શ્રી રામનું આ ભવ્ય મંદિર આપણને સફળતા અને નવા લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રેરિત કરશે. આજે પણ મંદિરમાં દર્શન માટે ભક્તોમાં ઉત્સાહ છે..મંગળા આરતી સાથે જ દર્શન ચાલુ છે. આ અવસરે પ્રમુખ સચિવ સંજય પ્રસાદ, ડીજી કાનૂન વ્યવસ્થા પ્રશાંત કુમાર અને સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે ભીડને પહોંચી વળવામાં તંત્ર સફળ રહ્યુ છે. ડીજી પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે પ્રમુખ ગૃહ સચિવ અને મને અહીંની વ્યવસ્થાઓ જોવા માટે મોકલવામાં આવ્યા છે. અમે ભીડ વ્યવસ્થા માટે લાઇન પ્રણાલીમાં ઘણાં સુધારાઓ કર્યા છે.

    સવારથી જ જન્મભૂમિ માર્ગ પર લાખો રામભક્તો ઉમટ્યા હતા.

    મંગળવારે સવારથી જ અયોધ્યાની શેરીઓ અને ગલીઓમાં આસ્થાના લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ અને વહીવટીતંત્રની સતર્કતાથી અંકુશમાં રહેલ ભીડ ધીમે ધીમે આગળ વધતી રહી અને અહીં પહોંચેલા ભક્તો શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને શ્રી રામ લલ્લાના દર્શન કરીને પુણ્યનો લાભ મેળવતા રહ્યા. પરંતુ, જેમ જેમ સૂર્ય ઉગતો હતો તેમ તેમ અયોધ્યાની ધરતી પર દર્શનાર્થીઓની ભીડ પણ વધી રહી હતી. બપોર સુધીમાં, જિલ્લા વહીવટીતંત્રે તેની તકેદારી વધારી દીધી અને અયોધ્યા કેન્ટ (ફૈઝાબાદ) અને અયોધ્યા ધામ (નયાઘાટ) તરફથી આવતા રસ્તાઓ પર ચાલતા ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વાહનોને રોકવા માટે અયોધ્યા ધામ કોતવાલીની સામે અવરોધ બનાવવામાં આવ્યો હતો અને રામ ભક્તો પર નિયંત્રણ શરૂ કરવામાં આવ્યું હતું. આમ છતાં મંદિરના મુખ્ય દ્વાર સુધી દર્શનાર્થીઓની ભીડ પહોંચી રહી હતી. જય શ્રી રામના નાદ, ભારતીય સંગીતના વાદ્યોના સૂરો અને ઢોલના ગૂંજ સાથે ભજન ગાવાનું શરૂ કરતા રામ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો હતો. રામજન્મભૂમિ માર્ગે પહોંચેલા તમામ ભક્તોને દર્શન આપવામાં આવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply