ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો કરાવ્યો શુભારંભ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો કરાવ્યો શુભારંભ
ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે આજે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન દ્વારા ન્યાય સેતુ કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને તેમના ઘરઆંગણે વિવિધ નાગરિક-કેન્દ્રિત કાનૂની સેવાઓ વિશે જાગૃત કરવામાં આવશે. આ અભિયાન કાયદાને લગતી સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન, જાગૃતિ અને સમર્થન પૂરું પાડવાના એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ એક રાષ્ટ્ર વ્યાપી પહેલ છે જેની પાછળ બંધારણના માળખામાં જે આદર્શોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના પ્રત્યે નાગરિકોમાં ગર્વ અને જવાબદારીની ભાવના મજબૂત થાય તેવો હેતુ છે.
