અર્જુનરામ મેઘવાલ બન્યા દેશના નવા કાયદામંત્રી, જ્યારે કિરણ રિજિજુને સોંપાઈ પૃથ્વી અને વિજ્ઞાન વિભાગની જવાબદારી
Live TV
-
એસ.પી.સિંહ બઘેલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા
રાષ્ટ્રપતિભવન તરફથી જારી થયેલી યાદીમાં જાણકારી આપવામાં આવી છે કે પ્રધાનમંત્રીએ કરેલી ભલામણ મુજબ કેબિનેટમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. અર્જૂનરામ મેઘવાલની વરણી સ્વતંત્ર કાર્યભાર સાથે રાજ્યમંત્રી તરીકે કરીને તેમને કાયદા મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. હવે કાયદામંત્રી અર્જૂન મેઘવાલ રહેશે. કિરેન રિજીજૂને કાયદા મંત્રી પદેથી બદલીને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તો એસ.પી.સિંહ બઘેલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.
