Skip to main content
Settings Settings for Dark

અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી મોદીએ વિશેષ સિક્કો બહાર પાડ્યો

Live TV

X
  • અહિલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ પર પીએમ મોદીએ 300 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડ્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોપાલના જમ્બુરી મેદાનમાં આયોજિત મહિલા સશક્તીકરણ મહાસંમેલન દરમિયાન લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ પર 300 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડ્યો. આ સિક્કો ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં અહિલ્યાબાઈ હોલકરની છબી દર્શાવવામાં આવી છે, જે તેમના ઐતિહાસિક વારસાને સન્માન આપે છે. 

    પ્રધાનમંત્રી મોદીએ દેવી અહિલ્યાબાઈ હોલકરની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેવી અહિલ્યાબાઈ હોલકર પુરસ્કાર એનાયત કર્યો, જે આ વર્ષે છત્તીસગઢના બસ્તર જિલ્લાના ડૉ. જયમતી કશ્યપને આપવામાં આવ્યો હતો. ડૉ. કશ્યપને ગોંડી ભાષાના સંરક્ષણ અને મહિલાઓને માનવ તસ્કરીથી બચાવવા માટેના તેમના કાર્ય બદલ સન્માન આપવામાં આવ્યું હતું.

    અહિલ્યાબાઈ હોલકરનો જન્મ ૩૧ મે, ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના ચોંડી ગામમાં થયો હતો. તેમના પતિ અને પુત્રના અકાળ મૃત્યુ પછી, તેમણે ૧૭૬૭માં ઇન્દોરની ગાદી સંભાળી અને લગભગ ત્રણ દાયકા સુધી શાસન કર્યું. તેમનો કાર્યકાળ સામાજિક સુધારા, વેપારને પ્રોત્સાહન, મંદિરોના પુનર્નિર્માણ અને માળખાગત વિકાસ માટે જાણીતો છે. તેમણે કાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ જેવા ઘણા ઐતિહાસિક કાર્યો કર્યા, જેના કારણે તેમને "માલવાની ફિલોસોફર ક્વીન" કહેવામાં આવે છે.

    ભોપાલમાં આયોજિત આ કાર્યક્રમ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે મહિલા સશક્તીકરણ અને સમાવેશી વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા જણાવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply