આજે અખાત્રીજ, સોના-ચાંદીની ખરીદીમાં તેજી
Live TV
-
શુભકાર્યો માટે વણજોયું મુહૂર્ત, સોના-ચાંદીની ખરીદી માટે આજનો દિવસ શુભ
આજે અખાત્રીજના તહેવારના પગલે સોના ચાંદી બજારમાં રોનક જોવા મળી રહી છે.એક તરફ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે તો બીજી તરફ સોના અને ચાંદીના કિંમત નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી વેપારીઓને સારી ખરીદીની આશા છે..ભારતમાં ધનતેરસ બાદ સૌથી વધુ સોના ચાંદીની ખરીદી આજના દિવસે થાય છે..સોની વેપારીઓનું માનવું છે કે, સોના અને ચાંદીની કિંમત ઘટી હોવાથી તેની માગ પણ વધી છે.
