આજે ગ્રેટર નોઈડાને પ્રધાનમંત્રી મેટ્રોની ભેટ આપશે
Live TV
-
પ્રધાનમંત્રી આજે ગ્રેટર નોઈડામાં કરશે વિકાસકાર્યોનો શુભારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડા જશે, જ્યારે તેઓ વિકાસની અનેક યોજનાની શરૂઆત કરાવશે. ગ્રેટર નોઈડામાં પંડિત દિનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદઘાટન પણ કરશે. અહીંયા પ્રધાનમંત્રી એક જનસભાને પણ સંબોધન કરશે. ગ્રેટર નોઈડાને પ્રધાનમંત્રી મેટ્રોની ભેટ આપશે. સેક્ટર - 62ના ઈલેક્ટ્રોનિકા સિટીથી સીટી સેન્ટર વચ્ચે શરૂ થનાર આ નવા રૂટથી નોઈડામાં રહેનાર લોકો અલી આધુનિક અને ઝડપી પરિવહનથી જોડશે.મેટ્રોના 6.6 કિલોમીટર લાંબો રૂટ દિલ્હી મેટ્રોની બ્લૂ લાઈનનો વિસ્તાર છે. જેની શરૂઆતથી રોડ માર્ગની ભીડમાં આંશિક ઘટાડાની સંભાવના છે. વીજળીથી મેટ્રો ચાલનાર હોવાથી પર્યાવરણને ફાયદો થશે.
