આજે ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિઃ સંસદ ભવન પરિસરમાં પંચશીલ પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અપાઈ
Live TV
-
આજે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ છે. મહાન સમાજ સુધારક અને વિદ્વાન બાબાસાહેબનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના ઘરે અવસાન થયું હતું. ઉલ્લેખનિય છે કે, ડૉ.આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસના રૂપે ઉજવવામાં આવે છે. મહાપરિનિર્વાણ દિવસ પર સંસદ ભવન પરિસરમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા પંચશીલ પ્રાર્થના અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પંચશીલ પ્રાર્થનામાં વિશેષ ગીતોની પ્રસ્તુતી કરાઈ હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના નેતાઓએ ઉપસ્થિત રહીને ડૉ. આંબેડકરને પુષ્પાંજલિ આર્પણ કરી હતી.
