આજે ભારતની આગામી 5 વર્ષ માટેની નવી વિદેશ વેપાર નીતિ જાહેર કરાશે
Live TV
-
આગામી 5 વર્ષ સુધી ભારતની વિદેશ વેપાર નીતિ શું હશે તેની રૂપરેખા આજે સામે આવશે. કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે વર્ષ 2023થી 2028 સુધીની વિદેશ નીતિની જાહેરાત કરશે. વૈશ્વિક વેપારની ધીમી થઈ રહેલી ગતિની વચ્ચે નિકાસ વધારવાના ઉદ્દેશથી નીતિમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. વર્તમાન વિદેશ વેપાર નીતિ આજે 31 માર્ચ 2023 સુધી અમલમાં રહેશે. જોકે, પહેલાની 5 વર્ષની આ નીતિનો સમયગાળો માર્ચ 2020માં પૂર્ણ થયો હતો. પરંતુ કોવિડ અને લૉકડાઉનના કારણે વિસ્તાર આપવામાં આવ્યો હતો. વિદેશ વેપાર નીતિને છેલ્લી વખત સપ્ટેમ્બર 2022 સુધી વધારવામાં આવી હતી.
