આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ
Live TV
-
આજે ભારતરત્નથી સ્નમાનિત ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ
દેશમાં આજે ભારત રત્નથી સન્માનિત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તેમનું યોગદાન માત્ર બંધારણના નિર્માણ પૂરતુ સીમિત નહોતું, પરંતુ સમાજમાં સમાનતા અને ન્યાયનો પાયો રાખવા જીવન સમર્પિત કર્યું અને શિક્ષણને મોટું હથિયાર ગણીને વંચિત લોકોને આગળ વધવાનો માર્ગ દર્શાવ્યો હતો
આજે ભારત રત્નથી સન્માનિત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 136મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંસદ ભવનના પ્રેરણા સ્થળે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ગણમાન્ય વ્યક્તિઓએ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓએ ગાંધીનગર લોકભવન ખાતે ભારત રત્નથી સન્માનિત ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની છબીને કુસુમાજંલિ અર્પણ કરી હતી.
