આજે રાષ્ટ્રીય કિસાન દિવસ
Live TV
-
દેશમાં આજે રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી થઇ રહી છે. ભારતના પાંચમા પ્રધાનમંત્રી નરેન્દ્ર ચરણસિંહની જન્મ જયંતિ પ્રસંગે દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી થતી હોય છે. પુર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહે તેમના કાર્યકાળમાં ખેડૂત ઉત્કર્ષ માટે મહત્વના પગલાં લીધા હતા. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વિટ કરીને પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને નમન કર્યું હતું. આપણા પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહમાંથી પ્રેરણા લઇને ખેડૂત હીતના અનેક પગલાં લઇ રહ્યા છે. આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકાર પુરી સંવેદનશીલતા સાથે વાત કરી રહી છે તેમ કહેતાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે ખેડૂતો આંદોલન પાછુ ખેંચશે.
