આજે શહીદ દિવસ, આઝાદીના જોશીલા વીરોને શત શત નમન
Live TV
-
આજના દિવસે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને 1931માં ફાંસી આપવામાં આવી હતી.
दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत; मेरी मिट्टी से भी, खुशबू-ए-वतन आएगी।'
આજે દેશની જનતા મા ભારતીના ત્રણ વીર સપૂતોના બલિદાન અને તેમના અદમ્ય સાહસને યાદ કરી રહી છે..૨૩ માર્ચને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે વર્ષ ૧૯૩૧માં શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. ફાંસીના સમયે પણ તેમના ચહેરા પર સ્મિત જોવા અખંડ હતું. તેમને ખુશી હતી કે તેમનું જીવન દેશને આઝાદી અપાવવા માટે સમર્પિત થયું છે. તેમણે તેમની આખરી ઇચ્છામાં ભગવાનને એ જ પ્રાર્થના કરી હતી કે અમારો જન્મ ફરી આ જ દેશમાં થાય. જ્યારે ભગતસિંહ અને અન્ય શહીદોને ફાંસી આપવામાં આવી હતી. તે દિવસે લાહૌર જેલમાં કેદ તમામ કેદીયોના આંખમાં આંસુ આવી ગયા હતા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ના રોજ જન્મેલા આ વીર ક્રાંતિકારી શહીદને આજે સમગ્ર દેશ તેમને શહીદ દીને યાદ કરી રહ્યું છે. તેમણે દેશને અંગ્રેજોના અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરી હસતા હસતા દેશ માટે પોતાના પ્રાણ ન્યૌછાવર કરી દીધા હતા.સોશિયલ મિડિયામાં શહીદ દિવસ હેશટેગ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે.
