આયુષ મંત્રાલયના તબીબો અને કર્મચારીઓ પણ કરશે સહયોગ, તબિબોનું કરાશે સન્માન
Live TV
-
સરકારે ક્લિનિકલ મેનેજમેન્ટ માટે આયુષ આરોગ્ય પ્રધ્ધતિઓ સાથે જોડાયેલા પ્રશિક્ષિત ચિકિત્સા કર્મચારીઓને સામેલ કરવાનું નક્કી કર્યું છે. આયુષ સાથે જોડાયેલા આઠ લાખ કર્મચારીઓ કોવિડને લગતાં કાર્યો કરવા માટે હાજર રહેશે.
સરકારે ક્લિનિકલ મેનેજમેન્ટ માટે આયુષ આરોગ્ય પ્રધ્ધતિઓ સાથે જોડાયેલા પ્રશિક્ષિત ચિકિત્સા કર્મચારીઓને સામેલ કરવાનું નક્કી કર્યું છે. આયુષ સાથે જોડાયેલા આઠ લાખ કર્મચારીઓ કોવિડને લગતાં કાર્યો કરવા માટે હાજર રહેશે. કોવિડ સામે લડતા ડોક્ટરી સ્ટાફની સંખ્યામાં વધારો કરવાના હેતુથી આયુષ સાથે જોડાયેલાં કર્મચારીઓની સેવા લેવામાં આવશે. અખિલ ભારતીય આર્યુવેદ સંસ્થા અત્યારે કોવિડ માટે વ્યવસ્થા કરી રહી છે. સરકારે આયુષ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં બદલવા આદેશ આપ્યો છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સહયોગ મળી રહેશે. કોવિડના દર્દીઓ માટે 750 આયુષ હોસ્પિટલમાં 50 હજાર બેડની સગવડ ઊભી કરવામાં આવશે. મંત્રાલયે એવી જાહેરાત કરી છે, 100 દિવસ કોવિડ વોર્ડમાં ડ્યુટી કરનારને ભારત સરકાર તરફથી પ્રધાનમંત્રી વિશેષ કોવિડ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવશે.
