આવતીકાલે કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક લોકસભાના ગૃહમાં થશે રજૂ
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટેનું વિધેયક આવતીકાલે લોકસભાના શિયાળુ સત્રના પહેલા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતનો ઉલ્લેખ કરીને બધા જ ખેડૂતોને તેમનું આંદોલન બંધ કરવાની અપીલ કરી છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, ખેડૂતોએ પ્રધાનમંત્રીની જાહેરાતને માન આપીને પોતાના ઘરે પાછા ફરવું જોઈએ. કૃષિમંત્રીએ ખેડૂતોનું એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે, કૃષિ ઉપજોના લઘુત્તમ ટેકાના ભાવો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે એક સમિતિની પણ રચના કરી છે.
