ઉત્તર પ્રદેશ અને બિહારમાં થર્મલ પાવર પ્લાન્ટને કેબિનેટે આપી મંજુરી
Live TV
-
કેન્દ્રિય કેબિનેટે મુંબઈમાં શહેરી પરિવહન વ્યવસ્થા વિસ્તારની મોટી યોજના મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટને મંજુરી આપવામાં આવી છે.
દિલ્હીમાં આજે કેન્દ્રિય કેબિનેટની બેઠક મળી. બેઠકની માહિતી આપતા નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતુ કે મંત્રીમંડળે બિહારના ભરતપુર અને ઉત્તર પ્રદેશના, ખુરજામાં થર્મલ પાવર પ્લાન્ટ માટે મંજુરી આપવામાં આવી છે. અરૂણ જેટલીએ આ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતુ કે મંત્રી મંડળમાં , આર્થીક મામલાની સમિતીએ ખાંડની મીલોને 2 હજાર, 790 કરોડ રૂપિયાનો વધારાના ફંડને સ્વિકૃતી આપી છે. જેનાથી ખેડુતોને શેરડીના ભાવ સમયસર મળી જશે. મંત્રી મંડળે શિક્ષક કેડર , અધ્યાદેશ- 2019માં આરક્ષણને મંજુરી આપી છે.
કેન્દ્રિય કેબિનેટે મુંબઈમાં શહેરી પરિવહન વ્યવસ્થા વિસ્તારની મોટી યોજના મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટને મંજુરી આપવામાં આવી છે. દિલ્હી મેટ્રોના, ફેઝ-4 ની ત્રણ લાઈનને પણ કેબીનેટે મંજુરી આપી દીધી છે. મંત્રી મંડળે આખા દેશમાં પૂરની સ્થિતિને પહોચી વળવા સીમાના ક્ષેત્રોના, નદીઓના પ્રબંધન માટેના કાર્યક્રમને મંજુરી આપી 3 હજાર ,342 કરોડ ફાળવ્યા છે. કેબિનેટે જમ્મુ-કાશ્મીરમાં કીરૂ જળ વિદ્ધુત પરિયોજનાને મંજુરી આપી છે. મંત્રી મંડળે ભારત અને ઓસ્ટ્રેલયા વચ્ચે પરિવહન, નવાચાર , અને ટેકનીકલ કરાર પર હસ્તાક્ષરને મંજુરી આપી છે.
