ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ લિથુઆનિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Live TV
-
બાલ્ટિક ક્ષેત્રના ત્રણ દિવસીય પ્રવાસે છે ઉપરાષ્ટ્રપતિ
બાલ્ટિક ક્ષેત્રના ત્રણ દિવસીય પ્રવાસે ગયેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ લિથુઆનિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ તમામ દેશોને આતંકને નાથવા માટે સામુહીક પ્રયાસ તેજ કરવા માટેનું આહવાન કર્યું હતું. અને આતંકવાદને મદદ કરતા દેશોને અલગથલગ કરવા માટે પણ ભાર મુક્યો હતો. ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂએ કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 370ને નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના સમગ્ર વિકાસ અને લોકોની ભલાઈ માટે હટાવાયો છે. ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ રાષ્ટ્રપતિ ગીટાનેસ નૌસેડાને જણાવ્યું કે, અનુચ્છેદ 370ના કારણે કેટલાંક લોકોને અલગાવવાદનો માહોલ પેદા કરવામાં અને કેટલાંક આતંકવાદી જૂથો સાથે સાંઠગાંઠ કરવામાં મદદ મળતી હતી
