એક મોટી ઉપલબ્ધિ: ભારતમાં 50%થી વધારે યોગ્ય વસ્તીનું સંપૂર્ણ રસીકરણ
Live TV
-
છેલ્લા 24 કલાકમાં 1.04 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ અપાવામાં આવ્યા છે.
કોરોના વેક્સિનેશન મામલે ભારતે મોટી ઉપલબ્ધી હાસલ કરી છે. ભારતમાં અત્યાર સુધી કુલ 50%થી વધારે વસ્તીનું સંપૂર્ણ વેક્સિનેશન કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 1.04 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ અપાવામાં આવ્યા છે. અત્યાર સુધી રસીના કુલ 127.61 કરોડથી વધારે ડોઝ અપાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,26,064 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64.72 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 98.35 થયો છે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,895 નવા કેસ નોંધાયા છે. જ્યારે કુલ 3,40,60,774 લોકો અત્યાર સુધી સ્વસ્થ્ય થયા છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 6,918 દર્દી સ્વસ્થ્ય થયા છે. જ્યારે હાલ 99,155 સક્રિય કેસ છે.
