એર ઈન્ડિયાના બે વિમાન અબુધાબીથી 354 ભારતીયોને લઈને કેરળ પહોચ્યા
Live TV
-
ભારતે વિદેશથી ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી શરૂ કરી છે. તેને 'વંદે ભારત અભિયાન' નામ આપવામાં આવ્યું છે.
એર ઈન્ડિયાના બે વિમાન અબુધાબીથી 354 ભારતીયોને લઈને કેરળ પહોચ્યા..ભારતે વિદેશથી ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી કામગીરી શરૂ કરી છે. તેને 'વંદે ભારત અભિયાન' નામ આપવામાં આવ્યું છે.આ અંતર્ગત સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી ભારતીયોને લાવનાર એર ઈન્ડિયાની બે ફ્લાઇટ ગુરુવારે ત્યાંથી લગભગ 354 ભારતીયો સાથે કેરળ પહોંચી હતી.એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન રાત્રે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું જેમાં ચાર નવજાત અને 177 મુસાફરો હતા. તે પછી ટૂંક સમયમાં, એર ઇન્ડિયાની બીજી ફ્લાઈટ, પાંચ બાળકો અને 177 મુસાફરોને લઈને, સવારે 10.45 વાગ્યે દુબઇથી કોઝિકોડ એરપોર્ટ પહોંચી. આ બે વિમાનો પર આવેલા 354 ભારતીયોમાંથી, બે જોડિયા બાળકો અને 11 ગર્ભવતી મહિલાઓ છે.
