ઓડિશાઃ PM મોદીએ સંબલપુર IIM કેમ્પસનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો
Live TV
-
PM મોદીએ શિલાન્યાસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતાં જણાવ્યુ કે, IIM સંબલપુરના કેમ્પસ શિલાન્યાસ સાથે ઓડિશાને મેનેજમેન્ટની દુનિયામાં નવી ઓળખ અપાવશે. આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ, ઓડિશાના મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
નવી ઓળખ અપાવશે. આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ, ઓડિશાના મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીયમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, નવા દશકામાં બ્રાન્ડ ઈન્ડીયાને નવી ગ્લોબલ ઓળખ અપાવવાની જવાબદારી આપણા અને આપણા યુવાઓ પર છે. IIMના વિદ્યાર્થીઓ પર સંબલપુરને લોકલથી વોકલ બનાવવાની એક મહત્વપૂર્ણ જવાબદારી છે અને આ મેનેજમેન્ટના ક્ષેત્રણાં નવા અનુભવો સાથે બહાર આવતા નિષ્ણાંતો બારતને નવી ઉંચાઈ પર લઈ જવા માટે મોટી ભૂમિકા ભજવશે.
પીએમ મોદીએ આત્મનિર્ભર ભારતના પોતાના વિચાર પર જણાવ્યુ કે, આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે-સાથે ઓડિશાના વિકાસને ગતિ આપવા માટે લોકલને ગ્લોબલ બનાવવા માટે નવીન સમાધાનો શોધવા પડશે. વર્ષ 2014 સુધીમાં દેશમાં 13 IIM હતા જે હવે વધીને 20 થયા. આજે તક વધારે છે તો પડકારો પણ વધ્યા છે.
