Skip to main content
Settings Settings for Dark

ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે હવે પૂર્વ નોંધણી દ્વારા RT-PCR ટેસ્ટ ફરજિયાત

Live TV

X
  • દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે વિદેશથી આવતા મુસાફરો માટે હવે નવી ગાઈડલાઈન અપાઈ છે. ઓમિક્રોન વેરિયન્ટથી પ્રભાવિત થયેલા દેશોમાંથી આવતા મુસાફરોને હવે પૂર્વ નોંધણી દ્વારા કોરોના  RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

    ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે હવે પૂર્વ નોંધણી દ્વારા RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે. 

    ઓથોરિટીએ માહિતી આપી હતી કે, આ વ્યવસ્થા આ મહિનાની 20મી તારીખથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ એમ 6 એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. જોખમ ધરાવતા દેશોમાંથી આવતા અથવા છેલ્લા ચાર દિવસ દરમિયાન આ દેશોની મુસાફરી કરનારા તમામ મુસાફરો માટે આ ફરજિયાત પરીક્ષણ માટે પૂર્વ-નોંધણી કરાવવા માટે એર સુવિધા પોર્ટલમાં ફેરફાર કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply