કર્ણાટકઃ કુમારસ્વામીએ જીત્યો વિશ્વાસમત, 117 ધારાસભ્યોનું મળ્યું સમર્થન
Live TV
-
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રાપ્ત કરી લીધો છે.
કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિશ્વાસમત પ્રાપ્ત કરી લીધો છે. ફ્લોર ટેસ્ટ દરમ્યાન કુમારસ્વામીના પક્ષમાં 117 ધરાસભ્યોના વોટ પડ્યાં. તેની સાથે જ હવે કર્ણાટકમાં રાજકીય નાટકનો સંપૂર્ણપણે અંત આવી ગયો છે. કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી છે અને કુમારસ્વામી હવે કર્ણાટકના મુખ્યમંત્રી બની રહેશે. આપને જણાવી દઇએ કે બહુમત પરીક્ષણ પહેલાં ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો અને આની વચ્ચે ભાજપે ધારાસભ્યનું વૉકઆઉટ કર્યું હતું.
બીજીબાજુ, વિધાનસભામાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સીએમ કુમારસ્વામી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે જો ખેડૂતોના દેવા માફીની જાહેરાત નહીં થાય તો ભાજપ 27મી મેથી રાજ્યવ્યાપી બંધ બોલાવશે. યેદિયુરપ્પાએ કહ્યું કે સત્તા માટે તમે કંઇ પણ કરી શકો છો. યેદિયુરપ્પાએ કૉંગ્રેસના નેતા શિવકુમાર પર પણ નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે તમે કોઇકની માટે વિલેન છો તો કોઇકની માટે હીરો. તમે બધના હીરો ના હોઇ શકો.
બીજીબાજુ વિધાનસભામાં ભાજપે અંતિમ સમયમાં સ્પીકર માટે પોતાના ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ કૉંગ્રેસના રમેશ કુમારને સર્વસહમતિથી સ્પીકર તરીકે પસંદ કરાયા. તેમને ફ્લોટ ટેસ્ટ પહેલાં જ કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન માટે મોટી જીત તરીકે જોવામાં આવ્યું.
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે અમે અમારા ઉમેદવારનું નામ પાછું ખેંચી લીધું કારણ કે અમારી ઇચ્છા છે કે સ્પીકર પદની ગરિમા બનાવી રાખવા ચૂંટણી સર્વસહમતિથી થાય. આપને જણાવી દઇએ કે એક દિવસ પહેલાં જ ભાજપે વરિષ્ઠ નેતા એસ.સુરેશકુમારને કર્ણાટક વિધાનસભાના સ્પીકરની પોસ્ટ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
એમ પણ કહેવાઇ રહ્યું હતું કે કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી સરકાર દ્વારા વિશ્વાસ મત રજૂ કરતાં પહેલાં ફ્લોર ટેસ્ટ કરાવાના ઉદ્દેશથી ભાજપે આ પગલું ઉઠાવ્યું હતું. ભાજપના ઉમેદવાર ઉતારવાથી ફ્લોર ટેસ્ટ પહેલાં સ્પીકરની ચૂંટણીમાં જોર અજમાવશે તેવી અટકળો હતી પરંતુ ભાજપના ઉમેદવારનું નામ પાછું ખેંચી કૉંગ્રેસનો રસ્તો સાફ થઇ ગયો.
ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે જો સીએમ કુમારસ્વામીએ ખેડૂતોની લોન માફી નહીં કરી તો તેઓ 28મી મેના રોજ રાજ્યભરમાં બંધની જાહેરાત કરશે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારની વિરૂદ્ધ ભાજપ ચુપ બેસશે નહીં.
