કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રચાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર કર્યા પ્રહાર
10 મે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જયારે 13 મેના મતગણતરી હાથ ધરાશે, ત્યારે પૂરજોષમાં ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુદબિદ્રી અને અંકોલા ખાતે રોડ શો યોજી જાહેર સભાને સંબોધી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસની વિચારધારા શાંતિ અને વિકાસની વિરુદ્ધમાં છે. ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈ આગળ વધી રહી છે અને અમૃતકાળ પછી પ્રથમવાર કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ રહી છે. આ ચૂંટણી કર્ણાટક રાજયને નંબર વન રાજય બનાવશે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, તુષ્ટિકરણની નીતિ એકમાત્ર કોંગ્રેસની ઓળખ બની છે. ડબલ એન્જીનની સરકાર થકી કર્ણાટક વિકાસની હરણફાળ ભરશે.
