Skip to main content
Settings Settings for Dark

કર્તવ્ય પથ અને તેની આસપાસ લગભગ 14,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે

Live TV

X
  • દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે રાષ્ટ્રીય રાજધાનીમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે. 26મી જાન્યુઆરીએ જ્યાં ગણતંત્ર પરેડ યોજાશે ત્યાં કર્તવ્ય પથ અને તેની આસપાસ લગભગ 14 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે.

    પ્રજાસત્તાક દિવસ પર સુરક્ષા વ્યવસ્થા વિશે મીડિયાને સંબોધતા, વિશેષ પોલીસ કમિશનર (સુરક્ષા) દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે સમગ્ર દિલ્હીમાં વ્યાવસાયિક, મજબૂત અને દોષરહિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે સુરક્ષા, ટ્રાફિક અને જિલ્લા એકમો કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ કોઈપણ કટોકટીને ટાળવા માટે વ્યાવસાયિક રીતે તૈયાર છે.

    વિશેષ પોલીસ કમિશનર (ટ્રાફિક) એચજીએસ ધાલીવાલે જણાવ્યું હતું કે દિલ્હીની સરહદ આજે રાત્રે 10 વાગ્યાથી સીલ કરવામાં આવશે અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. દિલ્હી પોલીસે મિસિંગ પર્સન બૂથ, હેલ્પ ડેસ્ક, ફર્સ્ટ-એઇડ કિઓસ્ક અને અલગ સુવિધા બૂથ પણ સ્થાપ્યા છે જ્યાં મુલાકાતીઓ તેમના વાહનની ચાવીઓ જમા કરાવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply