Skip to main content
Settings Settings for Dark

જાણો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ કેમ ઉજવાય છે?

Live TV

X
  • છેલ્લા 76 વર્ષથી સતત દર વર્ષે 25 જાન્યુઆરીએ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે

    ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ ભાષાઓ, બોલીઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓ છે. વિશ્વભરના દેશોને ભારતના પ્રવાસનનો પરિચય કરાવવા માટે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. છેલ્લા 76 વર્ષથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આઝાદી પહેલા, 1948માં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    આ પછી, આઝાદી મળતાની સાથે જ એક પ્રવાસન સમિતિની પણ રચના કરવામાં આવી. 1951માં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં પ્રવાસન કચેરીઓ પણ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1998 માં, પ્રવાસન અને સંચાર મંત્રીના નેતૃત્વ હેઠળ પ્રવાસન વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. 

    રાષ્ટ્રીય પ્રવાસન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

    રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી પાછળનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે સમગ્ર વિશ્વના લોકોને ભારતની સુંદરતા અને તેના સુંદર સ્થળો વિશે જણાવવામાં આવે અને પર્યટનના ક્ષેત્રમાં દેશની છબી મજબૂત થઈ શકે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વધુને વધુ પ્રવાસીઓ ભારતમાં આવે અને લોકોને રોજગારી મળે અને લોકો અહીંના પર્યટન સ્થળો વિશે જાગૃત થાય અને તેઓને તેમના વિશે માહિતી મળે.

    આ વખતે પ્રવાસન દિવસની થીમ ‘અવિરત પ્રવાસ, અનંત યાદો (Sustainable Journeys, Timeless Memories)’ છે. આ થીમ જવાબદાર અને સભાન મુસાફરીના ખ્યાલ પર ભાર મૂકે છે. ગયા વર્ષે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2023 ની થીમ 'ગ્રામીણ અને સમુદાય કેન્દ્રિત પ્રવાસન' હતી અને 2022 ની થીમ "આઝાદી કા અમૃત મહોત્સવ" હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply