કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજનું નિધન, પીએમે વ્યક્ત કર્યો શોક
Live TV
-
કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજ હવે રહ્યા નથી. તેઓ 93 વર્ષના હતા.
કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજ હવે રહ્યા નથી. તેઓ 93 વર્ષના હતા. તેઓ એઇમ્સમાં દાખલ થયા હતા. તેઓ લાંબા સમયથી બીમાર રહેતા હતા. જેથી તાજેતરમાં તેઓને એઇમ્સમાં દાખલ કર્યા હતા. પદ્મભૂષણથી સન્માનિત ગોપાલદાસ નીરજે હિન્દી ફિલ્મ માટે ઘણા શાનદાર ગીત લખ્યા હતા. તેમને ત્રણ વાર ફિલ્મ ફેર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિએ તેમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોપાલદાસના નિધન ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, પ્રખ્યાત કવિ અને લેખક ગોપાલદાસ નીરજના નિધન પર નરેન્દ્ર મોદીને દુઃખ થયું છે. શોક સંદેશમાં પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે, નીરજના અનોખા અંદાજમાં દરેક પેઢીના લોકોને તેની સાથે જોડી દીધા છે. તેમની દરેક રચના ક્યારેય ન ભૂલાય તેવું તે રત્ન છે. જે ઘણાં લોકોને પ્રેરણા આપતી રહેશે. મારી સંવેદના નીરજના પ્રશંસકો સાથે છે.
