મોબ લિન્ચિંગની ઘટનાઓ પર કેન્દ્ર સરકારે વ્યક્ત કરી ચિંતા
Live TV
-
લોકસભામાં મોબ લેન્ડિંગ સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કર્યું કે તેમની સરકાર આવી ઘટનાઓની નિંદા કરે છે.
ગૃહમંત્રીએ તે વાત પર ભાર આપ્યો કે આવી ઘટનાઓને પહોંચી વળવા માટે રાજ્ય સરકારોએ આકરા પલગા ભરવા જોઈએ. કેન્દ્ર સરકારે આ વિશે બે વખત એડવાઇઝરી જારી કરી છે.
રાજ્યસભામાં પણ મોબ લિન્ચિંગનો મુદ્દો ઉઠ્યો. જેડીયૂ સાંસદ હરિવંશે આવા મામલાને નાબુદ કરવા માટે વ્યાપક યોજના તૈયાર કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો.
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ પણ કહ્યું કે, આ એક સંવેદનશીલ અને મોટો મુદ્દો છે. સરકારને તમામ પક્ષોની સાથે ચર્ચા કરીને રણનીતિ બનાવવી જોઈએ.
કેન્દ્રીય સંચાર, સૂચના અને ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ગૃહને વિશ્વાસ અપાવ્યો કે આ મામલામાં તમામ જરૂરી પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે.
