કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે એર્નાકુલમ જિલ્લાના કુન્નાથુ-નાદ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધિત કરી
Live TV
-
કેરલમમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે એર્નાકુલમ જિલ્લાના કુન્નાથુ-નાદ વિધાનસભા મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે, અમિત શાહે જણાવ્યું હતું કે, આગામી કેરળમ વિધાનસભા ચૂંટણી ફક્ત સરકાર બદલવા માટે નથી, પરંતુ રાજ્યના ભવિષ્યને સુધારવા માટે છે. "દરેક માટે ન્યાય અને કોઈનું તુષ્ટિકરણ નહીં" એ દેશભરમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો મુખ્ય મંત્ર છે. તો, આ અગાઉ ગૃહમંત્રીએ કોઝિકોડ જિલ્લાના બેપોર ખાતે એક વિશાળ રોડ શો યોજ્યો હતો.
