કેન્દ્રીયમંત્રી અનંતકુમારના બેંગ્લુરુમાં કરાયા અંતિમ સંસ્કાર
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી અનંતકુમારના પૂરા રાજકીય સન્માન સાથે નીકળશે અંતિમયાત્રા, કેન્સરની બીમારીના કારણે 59 વર્ષની વયે થયું નિધન.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિવગંત કેન્દ્રીય મંત્રી અનંતકુમારને તેમના નિવાસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.અનંતકુમાર કેટલાક મહિનાઓથી બીમાર હતા.તે છેલ્લાં કેટલાક મહિનાથી ફેફસાના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.22 જુલાઈ 1959માં જન્મેલા અનંતકુમાર 1996થી બેંગલુરુ દક્ષિણ લોકસભા સીટ પરથી સાંસદ હતા.મોદીસરકારમાં તેમને ખાતર અને રસાયણ તથા સંસદીયબાબતોમના મંત્રીનું પદ મળ્યું હતું. તેઓ શરૂઆતમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલા હતા અને વિદ્યાર્થીકાળથી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.અનંત કુમારના આજે પૂરા રાજકીય સન્માન સાથે બેંગલૂરુમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
