કેન્દ્રીય આરોગ્ય મંત્રી-દેશના કોઈ પણ ભાગમાં ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી.
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, દેશના કોઈ પણ ભાગમાં ઓમિક્રોન, નવા કોવિડ પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 14 દેશોમાં નવા પ્રકારની જાણ કરવામાં આવી છે. તેમણે માહિતી આપી કે આ વાયરસને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહયાં છે. તેમણે કહ્યું કે, અન્ય દેશોમાં નોંધાયેલા ઓમિક્રોનના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સૂચનાઓ આપી છે, અને એરપોર્ટ પર દેખરેખ વધારી છે. તેમણે ઉમેર્યું કે સરકાર કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ છે, કારણ કે તે પ્રયોગશાળાઓ અને અન્ય સુવિધાઓ જેવી પર્યાપ્ત માળખાગત સુવિધાઓ સાથે સારી રીતે તૈયાર છે.