કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે શ્રમિકોની સમસ્યાનું નિવારણ કરવા આગ્રહ કર્યો
Live TV
-
કેન્દ્રીય શ્રમ અને રોજગારમંત્રી સંતોષ ગંગવારે વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લૉકડાઉન દરમિયાન શ્રમિકો અને મજુરોની સમસ્યા સાથે જોડાયેલ મુદ્દાના સમાધાન માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત નિયંત્રણ કક્ષ સાથે સમન્વય કરવા પોતાના રાજ્યમાંથી શ્રમ વિભાગના અધિકારીના નામ મોકલવાનો આગ્રહ કર્યો છે. કેન્દ્રીયમંત્રીએ શુક્રવારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રમમંત્રીને લખેલા પત્રમાં કહ્યું કે, આ નોડલ અધિકારીઓને કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલ 20 નિયંત્રણ કક્ષ અંગે પુરી જાણકારી આપવી જોઈએ. જેમાં કેન્દ્ર રાજ્ય સરકાર ના સમન્વયના પ્રયાસની જરૂરિયાત દર્શાવતા તેમણે કહ્યું કે, શ્રમિકોની ફરિયાદ દુર કરવા કેન્દ્ર રાજ્યના સંયુક્ત પ્રયાસની જરૂરિયાત છે.
