FDI નીતિમાં સંશોધન : ભારતમાં વેપાર કરવા આવનારા દેશોઓ સરકારની મંજૂરી લેવી પડશે
Live TV
-
સરકારે કોવિડ-19 મહામારી વચ્ચે અનુકુળ મોકો જોઇને ઘરેલું કંપનીના અધિગ્રહણની કોઇ પણ કોશિશ ઉપર પ્રતિબંધ લગાવતા, ભારત સાથે જમીની સરહદથી જોડાયેલી દેશોથી આવનાર વિદેશી રોકાણ માટે સરકારની મંજુરીને શનિવારે ફરજીયાત બનાવ્યું છે. ભારત સાથે જમીની સરહદથી જોડાયેલ દેશો ચીન,બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન,નેપાળ, મ્યાનમાર, અફધાનિસ્તાન સામેલ છે. DPITT એ કહયું કે ભારત સાથે, જમીની સરહદે જોડાયેલા દેશો, સરકારની મંજુરી બાદ જ રોકાણ કરી શકશે. ભારતમાં થનાર કોઇ પણ રોકાણમાં આ દેશના ભારતીય નાગરિકોએ પણ સરકારની મંજૂરી લેવી પડશે. સરકારે કોવિડ-19 ની સ્થતિમાં ઘરેલુ કંપનીની પ્રતિકૂળ સ્થિતિનો ફાયદો ઉઠાવવા સારો અવસર જોઇને ખરીદવાની કોશિશ રોકવા આ પગલું ભર્યું છે.
