કેન્દ્ર સરકારના NCCF એ તમિલનાડુમાં સબસિડીવાળા ભાવે કઠોળની બ્રાન્ડ લોન્ચ કરી
Live TV
-
કેન્દ્ર સરકારના NCCF એ તમિલનાડુમાં સબસિડીવાળા ભાવે કઠોળની બ્રાન્ડ લોન્ચ કરી
ભારત સરકારના ગ્રાહક બાબતે, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના એકમ, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) તમિલનાડુમાં 'ભારત દાળ' બ્રાન્ડ લોન્ચ કરી છે. NCCF તમિલનાડુના ગ્રાહકોને સબસિડીવાળા ભાવે ઉચ્ચ ગુણવત્તાની કઠોળ અને ચોખાનું વેચાણ કરશે. આ બાબતને વધુ સરળ બનાવવા માટે એક કંપની “આસન” ગ્લોબલ ટ્રેડને ભારત દાળના અધિકૃત વિતરક તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
હાલમાં 50 મોબાઈલ વાન દરેક જિલ્લાના નગરો અને ગામડાઓમાં મુખ્ય સ્થળોએ ગ્રાહકોને સીધા જ ભારત દાળ બ્રાન્ડની ચણા દાળનું વેચાણ કરે છે. મોબાઈલ આઉટલેટની સંખ્યા વધારીને 100 કરવામાં આવશે અને લોટ, ચોખા અને મગની દાળ જેવી નવી ચીજવસ્તુઓ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે.
