કેરલના કોઝિકોડમાં નિપાહ વાયરસથી કુલ ચાર લોકો સંક્રમિત
Live TV
-
કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસના ચેપને કારણે બે લોકોના મોત બાદ 9 વર્ષના બાળક સહિત વધુ બે લોકો સંક્રમિત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે ગઈ કાલે આ અંગે માહિતી આપી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કોઝિકોડમાં કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. અને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટિ થયા બાદ કોઝિકોડમાં કન્ટેઈનમેન્ટ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેરળની મદદ માટે કેન્દ્ર સરકારની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
