કેવડિયા ખાતે યોજાયેલી નાણાં મંત્રાલયની ચિંતન શિબિરનું સમાપન
Live TV
-
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સરકારના વિશાળ સંસાધનોનો યોગ્ય ઉપયોગ તેમજ દેશના યુવાઓને શ્રેષ્ઠ તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કેવડિયા ખાતે યોજાયેલી નાણાં મંત્રાલયની ચિંતન શિબિરને સંબોધતા સીતારમણે જણાવ્યું હતું કે, શિબિરમાં વિવિધ સત્ર દરમિયાન અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે માનવ સંસાધનના ક્ષેત્રમાં ક્ષમતા-નિર્માણ, ટેક્નોલોજી અને સોફ્ટવેર-સક્ષમ પ્રણાલીઓની ભૂમિકા, આંતર અને આંતર-મંત્રાલય પરામર્શ અને યુવાઓને તાલીમ અને માર્ગદર્શન આપવા જેવા વિવિધ પાસાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બે દિવસીય શિબિરમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડ અને પંકજ ચૌધરી, નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના વિવિધ વિભાગોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સહિત 100 જેટલા પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.
