કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પછી ઉથલપાથના સંકેત
Live TV
-
કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પછી ઉથલપાથલનો દોર ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજ્ય પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું આપવા ઓફર કરી હતી. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી માંડીને પક્ષના કાર્યકરોએ તેમની રાજીનામાની દરખાસ્તને ફગાવી દીધી હતી અને પદ પર બની રહેવાની માગણી કરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પદ પર ચાલુ રહેવા માની ગયા છે. રાહુલ ગાંધીને મનાવવા અશોક ગેહલોત, સચિન પાયલોટ, રણદીપ સૂરજેવાલા, મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના નેતા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પાર્ટીની હાર બાદ કેટલાંક રાજ્યોમાં રાજનીતિક સંકટ ઘેરાયું છે.
