કોરોના અપડેટઃ દેશમાં 24 કલાકમાં કોરોનાના 30,757 નવા કેસ નોંધાયા, 541 દર્દીઓના મૃત્યુ
Live TV
-
હાલ દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,757 નવા કેસ નોંધાયા છે. જ્યારે 67,538 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 541 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,19,10,984 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 3,32,918 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 11,79,705 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં 75.55 કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 3.04 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 2.61 ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 98.03 ટકા પર પહોંચ્યો છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 34,75,951 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 174.24 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. કોરોના રસીકરણ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે સમયસર રસીકરણ ખૂબ જરૂરી છે.
