Skip to main content
Settings Settings for Dark

કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 8,603 નવા કેસ નોંધાયા, 415 દર્દીના મૃત્યુ

Live TV

X
  • આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8603 દર્દીઓ નોંધાયા છે જ્યારે 8,190 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 414 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.

    દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 99,974 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,52,596 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 8,603 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 64.60 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.  દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 66  લાખથી વધુ લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 126.44 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે.

    ઓમીક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. હાલ દેશમાં નવા ઓમીક્રોન વેરિયન્ટના કર્ણાટકમાં બે કેસ નોંધાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply