કોલક્તા ખાતેની રેલીમાં કેન્દ્રિય ગૃહમંત્રીના તૃણમુલ ક્રોગ્રેસ પર પ્રહાર
Live TV
-
NSG ને દુનિયાથી બે કદમ આગળ રાખવાનું સરકારનું લક્ષ્યાંક હોવાનું જણાવતા અમિત શાહ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાત્તાની મુલાકાતે છે. કોલકાત્તાના ન્યૂ ટાઊન સ્થિત નિર્માણ પામેલાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના, 29માં સમગ્ર સમૂહ પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધાટન કર્યું હતું. અહીં NSG કમાન્ડોને પ્રશિક્ષણ અને આવાસીય સુવિધા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
આ પ્રસંગે સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, NSG એ મોદી સરકાર પાસે જે પણ અપેક્ષા રાખી છે, તે તમામ પૂર્ણ થશે. અમિત શાહે ઉમેર્યુ કે, મોદી સરકાર NSGને દુનિયાથી બે ડગલા આગળ રાખવા માગે છે માટે જ, NSGને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાવશે.
આતંકવાદને લઈને અમિત શાહે જણાવ્યુ કે, મોદી સરકારમાં આતંકવાદ વિરૂદ્ધ જીરો ટોલરેન્સની નીતિ રહી છે.આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે કલક્તામાં પણ એક જાહેર સભાને સંબોધન કર્યું હતું.
