કોવિડ-19 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી સાથે ફોન પર કરી વાત
Live TV
-
ભારત અને સ્વીડનમાં શોધકર્તા અને વૈજ્ઞાનિકો વચ્ચે સહયોગ વધારવા અને માહિતીના આદાન-પ્રદાનની ક્ષમતા વધારવા માટે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીપન લૉફવેન સાથે કોવિડ-19 મામલે ટેલિફોનિક વાતચીત કરી હતી..બન્ને દેશોના નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં ભારત અને સ્વીડનમાં શોધકર્તા અને વૈજ્ઞાનિકો વચ્ચે સહયોગ વધારવા અને માહિતીના આદાન-પ્રદાનની ક્ષમતા વધારવા માટે ચર્ચા થઈ હતી..જેથી કોવિડ-19 સામે લડવા માટે વૈશ્વિક પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકાય..બન્ને નેતાઓએ એ બાબત પર સહમતિ વ્યક્ત કરી હતી કે તેમના અધિકારીઓ કોવિડ-19 સામે લડવા માટે જરૂરી આરોગ્યલક્ષી સામગ્રીનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં હોવા અંગે પરસ્પર સંપર્કમાં રહેશે..