ખેડૂતોના મુદ્દે પંજાબના CM સાથે ગૃહમંત્રી અમિત શાહની બેઠક
Live TV
-
પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચાલી રહી છે મુલાકાત.ખેડુતોના મુદ્દાઓ પર ચર્ચા માટે અમિત શાહના નિવાસસ્થાને બેઠક.
કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના ચાલી રહેલા આંદોલનનો આજે આઠમો દિવસ છે. વિજ્ઞાન ભવનમાં સરકાર અને આંદોલનકારી ખેડૂત નેતાઓ વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટોનો દોર શરૂ થઇ ચુક્યો છે. 32 જેટલા ખેડૂત સંગઠનના 40 પ્રતિનિધી વિજ્ઞાન ભવન ખાતે વાટાઘાટો માટે પહોંચ્યા હતા.
ભારતીય કિસાન સંઘના રાકેશ ટિકેત પણ વાટાઘાટોમાં ભાગ લઇ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયેલ ખેડૂતો સાથે વાટાઘાટો કરી રહ્યા છે.આ પહેલાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આંદોલનકારી ખેડૂત નેતાઓ સાથેની વાટાઘાટોથી ઉકેલ મળવાની આશા વ્યક્ત કરી હતી.
આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ગૃહમંત્રીના નિવાસે કૃષિ સુધારા કાયદા અંગે ચર્ચા ચાલી રહી છે. સવારે ગૃહમંત્રી અમિત શાહના નિવાસે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગૃહ મંત્રી વચ્ચે બેઠક પણ યાઇ હતી.બેઠક યોજાઇ હતી.
