પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની જન્મજયંતિ પ્રસંગે ટ્વિટ કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન રાજેન્દ્ર પ્રસાદની જયંતિ પ્રસંગે તેમને નમન કરતાં ટ્વિટ કર્યું છે.
પુર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપતાં પ્રધાનમંત્રી મોદીએ સ્વાધીનતા સંગ્રામ અને બંધારણના ઘડતરમાં ડો. રાજેન્દ્ર પ્રસાદે નિભાવેલી ભૂમિકાની યાદ અપાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સાદા જીવન અને ઉચ્ચ વિચારના સિદ્ધાંત આધારે જીવાયેલું તેમનું જીવન દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની જયંતિ પ્રસંગે તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
