ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા
Live TV
-
દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર ખેડૂતોની દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે. તેમ જ ખેડૂતો દિલ્હી પોલીસે નક્કી કરેલી નિર્ધારિત જગ્યા પર જ પ્રદર્શન કરે તેવો મારો આગ્રહ છે. બીજી તરફ કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું , કે ખેડૂતોની તમામ સમસ્યા પર વાતચીત કરવા માટે અમે ખેડૂતો સાથે ત્રીજી ડિસેમ્બરે વાતચીત કરીશું.
