Skip to main content
Settings Settings for Dark

ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખુલવાની સાથે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રી ધામીએ પાઠવી શુભેચ્છાઓ

Live TV

X
  • અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર રવિવારે(19 એપ્રિલ) શ્રી યમનોત્રી ધામ અને શ્રી ગંગોત્રી ધામના કપાટ ખુલવા જઈ રહ્યા છે, જેની સાથે જ વાર્ષિક ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે. મંદિરોને ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

    ગંગા મૈયાની પાલખી રવિવારે તેના શિયાળુ નિવાસસ્થાન મુખબા ગામથી વિશેષ પૂજા-અર્ચના બાદ રવાના થઈ હતી. આ પ્રસંગે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી તરફ, મા યમુનાની પાલખી પણ તેમના શિયાળુ નિવાસસ્થાન ખરસાલી ગામથી રવાના થઈ હતી. ખરસાલીમાં 'જય મા ગંગે'ના નાદ અને ઢોલ-દમાઉ તથા રણસિંગા જેવા પરંપરાગત વાદ્યો સાથે ભવ્ય ઉજવણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો, પૂજારીઓ અને સાધુઓ આ સરઘસમાં જોડાયા હતા.

    મુખ્યમંત્રી ધામીએ 'X' પર પોસ્ટ કરતા લખ્યું કે, "આજે અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે શ્રી ગંગોત્રી અને શ્રી યમનોત્રી ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે વિધિવત રીતે ખોલવામાં આવશે. આ સાથે ચારધામ યાત્રા-2026નો ઉદ્ઘાટન થઈ રહ્યો છે." તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારે યાત્રાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુ-મૈત્રીપૂર્ણ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને પર્યાવરણ જાળવવા અને યાત્રાને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

    યાત્રામાં અત્યાર સુધીમાં અંદાજે 18.9 લાખ શ્રદ્ધાળુઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

    શનિવારે CM ધામીએ ઋષિકેશના ટ્રાન્ઝિટ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પહાડી વિસ્તારોમાં કાતિલ ઠંડીને જોતા ચારેય ધામોમાં વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરંપરાગત રીતે આ યાત્રા હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થઈને યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથ પહોંચે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply