ગૃહમંત્રીએ નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે બિમ્સટેક દેશોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે બે દિવસીય બિમ્સટેક સંમેલનનું આજે નવી દિલ્લીમાં ઉદ્ઘાટન કર્યું..સંમેલનનું આયોજન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કર્યું છે..સંમેલનમાં નશીલા પર્દાર્થોની તસ્કરીના વધતા જોખમ પર ચર્ચાઓ થશે..એશિયામાં નશીલા પદાર્થોની તસ્કરી સતત વધી રહી છે અને બિમ્સટેક તેને વૈશ્વિક સ્તર પર પહોંચી વળવા માટે એક ઉપયોગી મંચ છે..બિમ્સટેક બંગાળની ખાડી સાથે જોડાયેલા સાત દેશોનું ક્ષેત્રીય સંગઠન છે..બિમ્સટેકના સભ્યોમાં ભારત સિવાય બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે..
