ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના કોવિડ-19 સામે લડતા આરોગ્ય કર્મીઓને સુરક્ષા પુરી પાડવાના આપ્યા આદેશ
Live TV
-
ગૃહ મંત્રાલયે રાજ્યોને અનુરોધ કર્યો છે, કે ક્વોરેન્ટાઇન સુવિધા કેન્દ્રોમાં તૈનાત તબીબો અને અન્ય આરોગ્ય કર્મીઓને , જરૂરિયાત મુજબ સુરક્ષા પુરી પાડવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું, કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ પણ કોરોના વિરૂદ્ધ સામુહિક જાગૃતિ અભિયાન, ક્વોરેન્ટાઇન સામુહિક શિબીર સંચાલન, અને ફસાયેલા શ્રમિકોને ભોજનની વ્યવસ્થા મારફતે, કોવિડ-19 સામેના જંગમાં મદદ કરી રહ્યું છે.
