કોરોના સંકટ ઘેરું બન્યું, મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં લોકડાઉન લંબાવાયું
Live TV
-
દેશમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ગઇકાલે લોકડાઉનની સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. ત્યારે હવે દેશના મહારાષ્ટ્ર અને તેલંગાણા તથા પશ્ચિમ બંગાળે લોકડાઉનની સમય મર્યાદામાં વધારીને 30 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મળેલ બેઠકમાં મોટાભાગના રાજ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકડાઉન અવધિ બે અઠવાડિયા વધારવાની વિનંતી કરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યોના મુખ્યમંત્રીઓની આ અપીલ પર વિચાર કરી રહી છે. લોકડાઉનની સમીક્ષા બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે સરકાર જાન હૈ, તો જહાં હૈ ના મંત્ર સાથે કામ કરી રહી છે , પરંતુ હવે જાન પણ અને જહાં સાથે પણ આગળ વધશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દેશનો દરેક નાગરિક તેની જવાબદારી નિભાવશે અને સરકાર અને પ્રશાસનની સૂચનાનું પાલન કરશે ત્યાં સુધી કોરોના વાયરસ સામે અમારો સંઘર્ષ મજબૂત રહેશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક નાગરિકના જીવન બચાવવા પર ભાર મૂકવો જોઈએ અને આ માટે લોકડાઉન અને પરસ્પર સલામત અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો આ સમજે છે અને ઘરોમાં બંધ કરીને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે બધાએ આ મંત્રને અનુસરવું પડશે અને દરેક નાગરિકના જીવનને બચાવવા પ્રયાસ કરવો પડશે.
