કોરોના સંકટ વચ્ચે ઇસ્ટર પર્વની વિશ્વભરમાં ઉજવણી, PM મોદીએ ટ્વીટ કરી પાઠવી શુભકામના
Live TV
-
કોરોના સંક્રમણ સંકટ વચ્ચે, વિશ્વ ઇસ્ટર પર્વની ઉજવણી કરી રહ્યું છે. ઇસ્ટરની પુર્વસંધ્યાએSt. Peter Basilicaમાં પ્રાર્થના કાર્યક્રમમાં ભાગ લેતાં , પોપ ફ્રાન્સિસે, લોકોને આશા બંધાવી હતી, કે મહામારી જલદી ખતમ થઇ જશે. દર વર્ષે આ પ્રસંગેBasilica ખાતે, 1 લાખ લોકો હાજર રહેતા હોય છે , પરતું આ વર્ષે જૂજ અનુયાયી જ ઉપસ્થિત રહ્યા હતા. આજે ઇસ્ટ પર્વે પણ જૂજ અનુયાયી જ હાજરી આપે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ, ઇસ્ટર પર્વે શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે ઇસ્ટર પર્વ કોરોના સામે લડત આપવાનું બળ પુરૃ પાડશે.
