ગૃહ મંત્રાલયે દેશમાં 17 મે સુધી લૉકડાઉનને વધારાનો લીધો નિર્ણય
Live TV
-
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં થતા વધારાના કારણે લૉકડાઉનમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. દેશમાં 4 મેથી 17 મે સુધી લૉકડાઉન યથાવત્ રહેશે. ગૃહ મંત્રાલયે દેશમાં બે અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ વખતે લૉકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે. પણ પહેલાની જેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કરતા કહ્યું કે કોરોના વાયરસ સામે લૉકડાઉનથી દેશને ઘણો લાભ થયો છે. જેથી લૉકડાઉનને 4 મે થી બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરવામાં આવે છે. આ સાથે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન માટે અલગ-અલગ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટ પણ આપવામાં આવી છે.
